શ્રી વિસનગરા ગજ્જર સુથાર પરિવાર નો ઇતિહાસ
સિદ્ધરાજ જયસિંહ અજય અમર સ્થાપત્ય (રુદ્રક્ષમાળા) બનાવવા માટે ઉત્તર ભારતથી સુથાર અંગતજી તથા એક જોશી બ્રાહ્મણને ગુજરાત બોલાવ્યા, સુથાર અંગતજી પથ્થર કામ, મંદિરો-સ્થાપત્યો બનાવવાનું કામ કરતા હતા. સિદ્ધરાજ જયસિંહનો રુદ્રમાળ બાંધ્યો તેના મહેનતાણા પેટે વિસનગર ગામમાં જમીન વીઘા-૪૦૦ આપીને વસાવ્યા.સંવત-૧૨૧૫ ની સાલમાં સુથાર અંગતજી ગામ વિસનગર આવીને વસ્યા.વિસનગરમાં સુથારોએ નીલકંઠ મહાદેવનું દહેરું બંધાવેલું.વિસનગરમાં સુથારોએ નીલકંઠ મહાદેવને ગામની ઉત્તરે આવેલી ૪૦૦ વિઘા જમીનમાંથી ૨૦૦ વિઘા જમીન દાનમાં આપેલી. સંવત-૮૨૯ ની સાલમાં વૈશાખ સુદ-૩ ના દિવસે પટેલ બકોરભાઈ એ ગામ ગોઝારીયા વસાવ્યું. સંવત-૧૪૧૦ ની સાલમાં ફાગણ વદી-૩ ના દિવસે વિસનગર થી સુથાર દેવજીભાઈ ગામ ગોઝારીયા આવીને વસ્યા.
શાખે-વિસનગરા
ગોત્ર-ભારદ્રાજ
વેદ-મધ્યંદીવી
સુત્ર-કાત્યાયન
મંત્ર-ઓમ નમઃ શિવાય
ઇષ્ટદેવ-વિશ્વકર્મા ભગવાન
ગોત્રદેવી-ચામુંડા માતાજી
કુળદેવી-બહુચર માતાજી
ચામુંડા માતાજી તથા બહુચર માતાજી ના નૈવેધ
લાપસી, રોટલી, ખીર, ચોખા, ખીચડો, વાળા, સેવ, તલવટ, સુવાડી તથા નવખંડ માટે નવ દીવા.
આસો નવરાત્રી-આસો સુદ-૯, અથવા ચૈત્ર નવરાત્રી ચૈત્ર સુદ-૯.